Posted by: readsetu | April 18, 2009

મુક્તિ

 

ક્યારેક તું મને મળ્યો હશે

હવાની મીઠી સુગંધી લહેરમાં

ક્યારેક તારા સ્મરણોએ

કૂંપળ ફૂટ્યાની ભીનાશ ભીતરમાં ભરી દીધી હશે

હવે તું સાંભરે છે

ને છાતીમાં

કાળા અંધારિયા ધુમાડા ખદબદે છે

શ્વાસ એમાં અટવાય છે

સમયના મજબુત ચોસલા ખડકાયે જાય છે

ને અંદર ઉગતી જાય છે એક ભીંત

બારી વગરની ભીંત

હૈયા પર ચુસ્ત જડાયેલું

મણમણનું ઢાંકણ ખોલવાને હું સમર્થ નથી

ને જીવન ગંધાતુ જાય છે

બાળપણમાં પાટી પર

ચિતર્યા રાખ્યાતા મીંડાઓ

રંગ વગરના મીંડાઓ

બધી સંખ્યાઓની પાર જઇને

ફરી ત્યાં જ પહોંચવાનું

મને શાપ મળ્યો છે

મારો પડછાયો પકડી લેવાનો

પકડીને એને ખતમ કરી દેવાનો

આ જ કરતાં રહેવાનું છે

પછી જ મુક્તિ……

 

 

 

 

 

ગુજરાત દિપોત્સવી 2008માં પ્રકાશિત

 


Responses

  1. મને શાપ મળ્યો છે
    મારો પડછાયો પકડી લેવાનો
    પકડીને એને ખતમ કરી દેવાનો
    આ જ કરતાં રહેવાનું છે
    પછી જ મુક્તિ……

    Amazine poetry !!

  2. Sundar achhandas…!

  3. બાળપણમાં પાટી પર

    ચિતર્યા રાખ્યા’તા મીંડાઓ

    રંગ વગરના મીંડાઓ

    બધી સંખ્યાઓની પાર જઇને

    ફરી ત્યાં જ પહોંચવાનું

    મને શાપ મળ્યો છે

    મારો પડછાયો પકડી લેવાનો

    પકડીને એને ખતમ કરી દેવાનો

    આ જ કરતાં રહેવાનું છે

    પછી જ મુક્તિ……

    ખૂબ સુંદર

  4. મને શાપ મળ્યો છે

    મારો પડછાયો પકડી લેવાનો

    પકડીને એને ખતમ કરી દેવાનો

    Why to have so much negative approach towards life. let people say ” vah”
    I would like to say “aah”

    Do some thing….
    which can convert
    This ” AAH”
    In
    “VAH”

    Why to fight with shadow?
    Light a small lamp.

    The light of your soul..
    and the shadow is…..

  5. કેમ બહેન આટલો બધો વીષાદ?
    જીવન બહુ જટીલ હોય છે. તેનો તાગ પામવું સરળ નથી હોતું. કટુતા જ યાદ રાખ્યા કરીએ, એના કરતાં ક્ષણમાં જીવવાનો આનંદ માણીએ તો?
    જેણે કદી ઉજાસ જોયો જ નહોતો તેવી, હેલન કેલરનું એક બહુ જ સરસ વાક્ય યાદ આવ્યું -
    સુર્ય તરફ ચહેરો રાખીએ તો પડછાયો ન દેખાય.

  6. Lataben, Finely found your site..nice achhandasce..read and though what you want to say about..Sadhnaben oftern reminds about you.

  7. સુંદર અછાંદસ…….

    મુક્તિની એક ભયાનક વિભાવના !!

  8. મિત્રો,

    અંધારુ ને અજવાળું સાથે જ ચાલે છે..

    એમ જ જીવનમાં સુખ અને દુખ.

    કોઇ વસ્તુ જીવનમાં કાયમી નથી હોતી. ક્ષણો આવે છે અને જાય છે.

    આ એવી કોઇ ક્ષણોની તસ્વીર છે..

    કવિતા પીડામાં જલ્દી જન્મે છે.

    જ્યારે એ કાવ્ય તરીકે જન્મે છે પછી એનું મુલ્ય કાવ્ય તરીકે જ..

    એ શબ્દો મળીને કવિતા રચાઇ કે નહીં, એટલું જ અને એ જ અગત્યનું..

    ક્ષણો માત્ર ભંગુર છે.. સુખની કે દુખની…

    આ જવાબ મારા તમામ મિત્રો માટે..

    મારા કાવ્યમાં રસ લઇ કૉમેંટ આપવા બદલ આપ સૌનો આભાર..

    લતા હિરાણી

  9. ક્ષણો ભંગુર છે ..
    માટે એક જ ક્ષણ જીવીએ તો?

    દરેક ક્ષણે નવો જન્મ .. નવો અવતાર .. નવી તાજગી ..


Leave a response

Your response:

Categories